P24 News Gujarat

લાઇબેરિયન જહાજ જપ્ત કરીને ₹9 ​​હજાર કરોડ વસૂલવામાં આવશે:કેરળમાં આ કંપનીનું જહાજ ડૂબી ગયું, કેમિકલથી પર્યાવરણને નુકસાન થયું

કેરળ હાઈકોર્ટે ​​​​​​​ લાઈબેરિયન જહાજ MSC એલ્સા 3ની સિસ્ટર શિપ, MSC અકીકેતા 2 ને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. 25મેના રોજ MSC એલ્સા 3 કેરળના દરિયામાં ડૂબી ગયું હતું. બંને જહાજો MSC મેડિટેરેનિયન શિપિંગ કંપનીના છે. કેરળ સરકારે આના કારણે થયેલા પર્યાવરણીય અને આર્થિક નુકસાન માટે વળતર માટે અરજી કરી હતી. ઉપરાંત, સહયોગી જહાજ ભારત છોડી શકે છે તેવી આશંકા વ્યક્ત કરીને, જહાજને જપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. જેના જવાબમાં કોર્ટે આ આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે 9531 કરોડ રૂપિયાના નુકસાનનો દાવો કર્યો છે. આમાં પ્રદૂષણ નિયંત્રણ અને રાહત કાર્યનો ખર્ચ તેમજ માછીમારોને થયેલા નુકસાન માટે વળતરનો સમાવેશ થાય છે. કાનૂની કાર્યવાહી ચાલુ હોય ત્યારે સરકારનો દાવો સુરક્ષિત રાખવા માટે જપ્તીનો આદેશ આપવામાં આવ્યો છે. હવે આ મામલો ઉકેલાય ત્યાં સુધી જહાજ ભારત છોડી શકશે નહીં. વિઝિનજામ પોર્ટને જહાજને જપ્ત કરવા અને સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, જહાજ ડૂબી ગયા પછી તેમાંથી નીકળેલા ઝેરી પદાર્થોને કારણે ડોલ્ફિન અને વ્હેલ સહિત ઘણા દરિયાઈ જીવોના મૃત્યુ થયા હતા. આ અંગે સરકારે એડમિરલ્ટી (જ્યુરિડિકશન એન્ડ સેટલમેન્ટ ઓફ મેરીટાઇમ ક્લેમ્સ) એક્ટની કલમ 4 હેઠળ વળતરની માંગ કરી હતી. આમાં પ્રદૂષણ માટે ₹8626 કરોડ, પર્યાવરણ માટે ₹378.48 કરોડ અને માછીમારોને થયેલા નુકસાન માટે ₹526.51 કરોડનો સમાવેશ થાય છે. વ્યાજ સહિત કુલ વળતરની રકમ ₹9,531.11 કરોડ છે. કોર્ટે અદાણી વિઝિનજામ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડને જહાજ જપ્ત કરવા અને તેનું રક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ આદેશ માલના લોડિંગ કે અનલોડિંગમાં દખલ કરશે નહીં. કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ થશે. તમામ ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા લાઇબેરિયાનું MSC એલ્સા 3 કાર્ગો શિપ 25 મેના રોજ કેરળના કોચી કિનારે ડૂબી ગયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને નૌકાદળ દ્વારા તમામ 24 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. જહાજ પર ભરેલા 643થી વધુ કન્ટેનરમાં કેલ્શિયમ કાર્બાઇડ, ડીઝલ, ફર્નેસ ઓઇલ સહિતના કેટલાક ખતરનાક કેમિકલ ભરેલા હતા. આ જહાજ 23 મેના રોજ કેરળના વિઝિનજામ બંદરથી કોચી જવા માટે રવાના થયું હતું. 24 મેના રોજ બપોરે 1:25 વાગ્યે, કોચી કિનારાથી 38 નોટિકલ માઇલના અંતરે તે લગભગ 26 ડિગ્રી ઝુકતું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ, કોચીમાં ICGના મરીન રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC)એ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ હતું. રશિયા, યુક્રેન, જ્યોર્જિયા અને ફિલિપાઇન્સના 24 ક્રૂ સભ્યોમાંથી 21ને બચાવી લેવામાં આવ્યા હતા. બાકીના ત્રણ સીનિયર ક્રૂ સભ્યો જહાજને ડૂબતા અટકાવવા માટે જહાજ પર જ રોકાયા હતા. જોકે, જહાજનો ઝુકાવ વધતો રહ્યો અને તે ડૂબી ગયું. નૌકાદળના જહાજ INS સુજાતાએ બાકીના ત્રણ ક્રૂ સભ્યોને પણ બચાવી લીધા. જહાજ એક તરફ ઝુકાવવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડૂબતા જહાજ અને રેસ્ક્યૂની 3 તસવીરો…

​કેરળ હાઈકોર્ટે ​​​​​​​ લાઈબેરિયન જહાજ MSC એલ્સા 3ની સિસ્ટર શિપ, MSC અકીકેતા 2 ને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. 25મેના રોજ MSC એલ્સા 3 કેરળના દરિયામાં ડૂબી ગયું હતું. બંને જહાજો MSC મેડિટેરેનિયન શિપિંગ કંપનીના છે. કેરળ સરકારે આના કારણે થયેલા પર્યાવરણીય અને આર્થિક નુકસાન માટે વળતર માટે અરજી કરી હતી. ઉપરાંત, સહયોગી જહાજ ભારત છોડી શકે છે તેવી આશંકા વ્યક્ત કરીને, જહાજને જપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. જેના જવાબમાં કોર્ટે આ આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે 9531 કરોડ રૂપિયાના નુકસાનનો દાવો કર્યો છે. આમાં પ્રદૂષણ નિયંત્રણ અને રાહત કાર્યનો ખર્ચ તેમજ માછીમારોને થયેલા નુકસાન માટે વળતરનો સમાવેશ થાય છે. કાનૂની કાર્યવાહી ચાલુ હોય ત્યારે સરકારનો દાવો સુરક્ષિત રાખવા માટે જપ્તીનો આદેશ આપવામાં આવ્યો છે. હવે આ મામલો ઉકેલાય ત્યાં સુધી જહાજ ભારત છોડી શકશે નહીં. વિઝિનજામ પોર્ટને જહાજને જપ્ત કરવા અને સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, જહાજ ડૂબી ગયા પછી તેમાંથી નીકળેલા ઝેરી પદાર્થોને કારણે ડોલ્ફિન અને વ્હેલ સહિત ઘણા દરિયાઈ જીવોના મૃત્યુ થયા હતા. આ અંગે સરકારે એડમિરલ્ટી (જ્યુરિડિકશન એન્ડ સેટલમેન્ટ ઓફ મેરીટાઇમ ક્લેમ્સ) એક્ટની કલમ 4 હેઠળ વળતરની માંગ કરી હતી. આમાં પ્રદૂષણ માટે ₹8626 કરોડ, પર્યાવરણ માટે ₹378.48 કરોડ અને માછીમારોને થયેલા નુકસાન માટે ₹526.51 કરોડનો સમાવેશ થાય છે. વ્યાજ સહિત કુલ વળતરની રકમ ₹9,531.11 કરોડ છે. કોર્ટે અદાણી વિઝિનજામ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડને જહાજ જપ્ત કરવા અને તેનું રક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ આદેશ માલના લોડિંગ કે અનલોડિંગમાં દખલ કરશે નહીં. કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ થશે. તમામ ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા લાઇબેરિયાનું MSC એલ્સા 3 કાર્ગો શિપ 25 મેના રોજ કેરળના કોચી કિનારે ડૂબી ગયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને નૌકાદળ દ્વારા તમામ 24 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. જહાજ પર ભરેલા 643થી વધુ કન્ટેનરમાં કેલ્શિયમ કાર્બાઇડ, ડીઝલ, ફર્નેસ ઓઇલ સહિતના કેટલાક ખતરનાક કેમિકલ ભરેલા હતા. આ જહાજ 23 મેના રોજ કેરળના વિઝિનજામ બંદરથી કોચી જવા માટે રવાના થયું હતું. 24 મેના રોજ બપોરે 1:25 વાગ્યે, કોચી કિનારાથી 38 નોટિકલ માઇલના અંતરે તે લગભગ 26 ડિગ્રી ઝુકતું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ, કોચીમાં ICGના મરીન રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC)એ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ હતું. રશિયા, યુક્રેન, જ્યોર્જિયા અને ફિલિપાઇન્સના 24 ક્રૂ સભ્યોમાંથી 21ને બચાવી લેવામાં આવ્યા હતા. બાકીના ત્રણ સીનિયર ક્રૂ સભ્યો જહાજને ડૂબતા અટકાવવા માટે જહાજ પર જ રોકાયા હતા. જોકે, જહાજનો ઝુકાવ વધતો રહ્યો અને તે ડૂબી ગયું. નૌકાદળના જહાજ INS સુજાતાએ બાકીના ત્રણ ક્રૂ સભ્યોને પણ બચાવી લીધા. જહાજ એક તરફ ઝુકાવવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડૂબતા જહાજ અને રેસ્ક્યૂની 3 તસવીરો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *