P24 News Gujarat

દાદાસાહેબ ફાળકેના પૌત્ર એસએસ રાજામૌલીથી નાખુશ:કહ્યું, ‘બાયોપિક માટે ક્યારેય સંપર્ક નથી કર્યો, આમિર-હિરાણીએ સખત મહેનત કરી વિશ્વાસ જીત્યો’

ભારતમાં ફીચર ફિલ્મની શરૂઆત કરનારા દાદાસાહેબ ફાળકેના જીવન પરથી બોલિવૂડ એક્ટર આમિર ખાન અને ફિલ્મ મેકર રાજકુમાર હિરાણી તથા સાઉથના ફિલ્મ મેકર, ‘RRR’ ફિલ્મ બનાવનાર નેશનલ એવોર્ડ વિજેતા એસ. એસ. રાજામૌલી બે અલગ અલગ ફિલ્મો બનાવી રહ્યા છે. તેવામાં દાદાસાહેબના પૌત્ર ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસલકરે આમિર ખાન અને રાજકુમાર હિરાણીના વખાણ કર્યા હતા, જ્યારે એસ.એસ. રાજામૌલી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘રાજામૌલીએ બાયોપિક માટે ક્યારેય તેમનો સંપર્ક કર્યો નથી.’ અમર ઉજાલા (અખબાર) સાથે વાત કરતા ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસલકરે કહ્યું કે, ‘ દાદાસાહેબ ફાળકે પર રાજામૌલી ફિલ્મ બનાવી રહ્યા હોવા અંગે મે ફક્ત ચર્ચાઓ સાંભળી છે. જો કોઈ ફાળકેજી પર ફિલ્મ બનાવી રહ્યું છે, તો ઓછામાં ઓછું પરિવાર સાથે વાત કરવી જોઈએ ને. પરિવારને અવગણી ન શકાય, સાચી વાર્તા અમને જ ખબર છે.’ દરમિયાન ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસલકરે આમિર ખાન અને રાજકુમાર હિરાણીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, ‘આમિર-હિરાણીની ટીમે અમારો વિશ્વાસ જીતવા માટે સખત મહેનત કરી. આમિર ખાન અને રાજકુમાર હિરાણીનો પ્રોજેક્ટ મારા માટે પણ સરપ્રાઈઝ હતો. મને હમણાં જ ખબર પડી કે, તે સમાધાન પર પહોંચી ગયા છે પરંતુ તેના સહાયક નિર્માતા હિન્દુકુશ ભારદ્વાજ છેલ્લા ત્રણ વર્ષથી મારા સંપર્કમાં છે. તે વારંવાર મને મળવા આવતા, સંશોધન કરતા અને વિગતો પૂછતા.’ મેં તેમને સ્પષ્ટ કહ્યું, ‘તમે લોકો પ્રામાણિકપણે કામ કરી રહ્યા છો, તમે આગળ વધો, મને કોઈ વાંધો નથી’. તેમણે કહ્યું, મને લાગે છે કે, વિદ્યા બાલન તેમના દાદી, દાદાસાહેબના પત્ની, સરસ્વતીબાઈ ફાળકેની ભૂમિકા ભજવવા માટે શ્રેષ્ઠ રહેશે. આમિર ખાન અને રાજકુમાર હિરાણી દાદાસાહેબની બાયોપિક બનાવશે ભારતની પ્રથમ ફીચર ફિલ્મ બનાવીને બોલિવૂડનો પાયો નાંખનારા દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા માનવામાં આવે છે. તેમનું જીવન અને ફિલ્મોની યાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે. ત્યારે વાર્તાને પ્રથમ વખત રૂપેરી પડદે કંડારનારા ધુંડીરાજ ગોવિંદ ફાળકે એટલે કે દાદાસાહેબ ફાળકેની વાર્તા રૂપેરી પડદા પર આવી રહી છે. એક્ટર આમિર ખાન અને ફિલ્મ મેકર રાજકુમાર હિરાણી દાદાસાહેબના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર 2025થી શરૂ થવાનું છે. આમિર ખાન પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલીઝ થયા પછી તરત જ આ નવી ફિલ્મમાં તેની ભૂમિકા માટે તૈયારી શરૂ કરશે. લોસ એન્જલસ (LA)માં VFX સ્ટુડિયોએ ફિલ્મની વાર્તાનો સમય અને માહોલને ધ્યાનમાં રાખીને પહેલાથી જ અદ્યતન AI ડિઝાઇન બનાવી દીધી છે. રાજકુમાર હિરાણી, ડિરેક્ટર અને સ્ક્રિન રાઇટર અભિજાત જોશી અને બે લેખકો હિન્દુકુશ ભારદ્વાજ અને અવિષ્કર ભારદ્વાજ છેલ્લા ચાર વર્ષથી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર સતત કામ કરી રહ્યા છે. એસ. એસ. રાજામૌલીએ 2023માં બાયોપિક બનાવવાની જાહેરાત કરી હતી નોંધનીય છે કે, સાઉથના ફિલ્મ મેકર, ‘RRR’ ફિલ્મ બનાવનાર નેશનલ એવોર્ડ વિજેતા એસ. એસ. રાજામૌલીએ સપ્ટેમ્બર 2023માં દાદાસાહેબ ફાળકે પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર ટ્વીટ કરી હતી કે, ‘જ્યારે મેં પહેલી વાર વાર્તા સાંભળી, ત્યારે હું ભાવનાત્મક રીતે ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. બાયોપિક બનાવવી એ પોતે જ અઘરું છે, પણ ભારતીય સિનેમાના પિતા વિશે કલ્પના કરવી એ તેનાથી પણ વધુ પડકારજનક છે. અમે અને અમારા છોકરાઓ આ બનાવવા માટે તૈયાર છીએ. ખૂબ ગર્વ સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ રજૂ કરીએ છીએ.’ ‘મેડ ઇન ઇન્ડિયા’માં જુનિયર એનટીઆર દાદાસાહેબની ભૂમિકા ભજવે તેવી શક્યતા ઉલ્લેખનીય છે કે, એક જ વિષય પર બોલિવૂડ અને સાઉથના બે દિગ્ગજ ફિલ્મ મેકર ફિલ્મ બનાવી રહ્યા છે, ત્યારે દર્શકોમાં પણ બંને ફિલ્મોને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાઉથની ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’માં એક્ટર જુનિયર એનટીઆર દાદાસાહેબ ફાળકેની ભૂમિકા ભજવવાનો હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર આવ્યું નથી.

​ભારતમાં ફીચર ફિલ્મની શરૂઆત કરનારા દાદાસાહેબ ફાળકેના જીવન પરથી બોલિવૂડ એક્ટર આમિર ખાન અને ફિલ્મ મેકર રાજકુમાર હિરાણી તથા સાઉથના ફિલ્મ મેકર, ‘RRR’ ફિલ્મ બનાવનાર નેશનલ એવોર્ડ વિજેતા એસ. એસ. રાજામૌલી બે અલગ અલગ ફિલ્મો બનાવી રહ્યા છે. તેવામાં દાદાસાહેબના પૌત્ર ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસલકરે આમિર ખાન અને રાજકુમાર હિરાણીના વખાણ કર્યા હતા, જ્યારે એસ.એસ. રાજામૌલી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘રાજામૌલીએ બાયોપિક માટે ક્યારેય તેમનો સંપર્ક કર્યો નથી.’ અમર ઉજાલા (અખબાર) સાથે વાત કરતા ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસલકરે કહ્યું કે, ‘ દાદાસાહેબ ફાળકે પર રાજામૌલી ફિલ્મ બનાવી રહ્યા હોવા અંગે મે ફક્ત ચર્ચાઓ સાંભળી છે. જો કોઈ ફાળકેજી પર ફિલ્મ બનાવી રહ્યું છે, તો ઓછામાં ઓછું પરિવાર સાથે વાત કરવી જોઈએ ને. પરિવારને અવગણી ન શકાય, સાચી વાર્તા અમને જ ખબર છે.’ દરમિયાન ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસલકરે આમિર ખાન અને રાજકુમાર હિરાણીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, ‘આમિર-હિરાણીની ટીમે અમારો વિશ્વાસ જીતવા માટે સખત મહેનત કરી. આમિર ખાન અને રાજકુમાર હિરાણીનો પ્રોજેક્ટ મારા માટે પણ સરપ્રાઈઝ હતો. મને હમણાં જ ખબર પડી કે, તે સમાધાન પર પહોંચી ગયા છે પરંતુ તેના સહાયક નિર્માતા હિન્દુકુશ ભારદ્વાજ છેલ્લા ત્રણ વર્ષથી મારા સંપર્કમાં છે. તે વારંવાર મને મળવા આવતા, સંશોધન કરતા અને વિગતો પૂછતા.’ મેં તેમને સ્પષ્ટ કહ્યું, ‘તમે લોકો પ્રામાણિકપણે કામ કરી રહ્યા છો, તમે આગળ વધો, મને કોઈ વાંધો નથી’. તેમણે કહ્યું, મને લાગે છે કે, વિદ્યા બાલન તેમના દાદી, દાદાસાહેબના પત્ની, સરસ્વતીબાઈ ફાળકેની ભૂમિકા ભજવવા માટે શ્રેષ્ઠ રહેશે. આમિર ખાન અને રાજકુમાર હિરાણી દાદાસાહેબની બાયોપિક બનાવશે ભારતની પ્રથમ ફીચર ફિલ્મ બનાવીને બોલિવૂડનો પાયો નાંખનારા દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા માનવામાં આવે છે. તેમનું જીવન અને ફિલ્મોની યાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે. ત્યારે વાર્તાને પ્રથમ વખત રૂપેરી પડદે કંડારનારા ધુંડીરાજ ગોવિંદ ફાળકે એટલે કે દાદાસાહેબ ફાળકેની વાર્તા રૂપેરી પડદા પર આવી રહી છે. એક્ટર આમિર ખાન અને ફિલ્મ મેકર રાજકુમાર હિરાણી દાદાસાહેબના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર 2025થી શરૂ થવાનું છે. આમિર ખાન પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલીઝ થયા પછી તરત જ આ નવી ફિલ્મમાં તેની ભૂમિકા માટે તૈયારી શરૂ કરશે. લોસ એન્જલસ (LA)માં VFX સ્ટુડિયોએ ફિલ્મની વાર્તાનો સમય અને માહોલને ધ્યાનમાં રાખીને પહેલાથી જ અદ્યતન AI ડિઝાઇન બનાવી દીધી છે. રાજકુમાર હિરાણી, ડિરેક્ટર અને સ્ક્રિન રાઇટર અભિજાત જોશી અને બે લેખકો હિન્દુકુશ ભારદ્વાજ અને અવિષ્કર ભારદ્વાજ છેલ્લા ચાર વર્ષથી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર સતત કામ કરી રહ્યા છે. એસ. એસ. રાજામૌલીએ 2023માં બાયોપિક બનાવવાની જાહેરાત કરી હતી નોંધનીય છે કે, સાઉથના ફિલ્મ મેકર, ‘RRR’ ફિલ્મ બનાવનાર નેશનલ એવોર્ડ વિજેતા એસ. એસ. રાજામૌલીએ સપ્ટેમ્બર 2023માં દાદાસાહેબ ફાળકે પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર ટ્વીટ કરી હતી કે, ‘જ્યારે મેં પહેલી વાર વાર્તા સાંભળી, ત્યારે હું ભાવનાત્મક રીતે ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. બાયોપિક બનાવવી એ પોતે જ અઘરું છે, પણ ભારતીય સિનેમાના પિતા વિશે કલ્પના કરવી એ તેનાથી પણ વધુ પડકારજનક છે. અમે અને અમારા છોકરાઓ આ બનાવવા માટે તૈયાર છીએ. ખૂબ ગર્વ સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ રજૂ કરીએ છીએ.’ ‘મેડ ઇન ઇન્ડિયા’માં જુનિયર એનટીઆર દાદાસાહેબની ભૂમિકા ભજવે તેવી શક્યતા ઉલ્લેખનીય છે કે, એક જ વિષય પર બોલિવૂડ અને સાઉથના બે દિગ્ગજ ફિલ્મ મેકર ફિલ્મ બનાવી રહ્યા છે, ત્યારે દર્શકોમાં પણ બંને ફિલ્મોને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાઉથની ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’માં એક્ટર જુનિયર એનટીઆર દાદાસાહેબ ફાળકેની ભૂમિકા ભજવવાનો હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર આવ્યું નથી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *