P24 News Gujarat

રાહુલ-મુનીરનો એક જ ચહેરો:રાહુલને મળશે નિશાન-એ-પાકિસ્તાન; ભાજપના અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા

BJP IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેમણે મંગળવારે કહ્યું કે કેટલાક લોકો રાહુલ ગાંધીના નિવેદનોથી આશ્ચર્યચકિત નથી. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેઓ આવું કેમ કહી રહ્યા છે? કારણ કે રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાનને અભિનંદન આપ્યા ન હતા. આ ઓપરેશન દ્વારા ભારતની તાકાત સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. અમિત માલવિયાએ એક ફોટો સાથે ટ્વિટ કરીને આ વાત કહી. આ ફોટો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને રાહુલ ગાંધીના અડધા-અડધા ફોટા જોડીને બનાવવામાં આવ્યો છે. અમિત માલવિયાએ સોમવારે રાહુલ ગાંધીના તે ટ્વિટ બાદ આ સવાસ ઉઠાવ્યો છે જેમાં તેમણે ‘ઓપરેશન સિંદૂર’ના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ. જયશંકર પર હુમલો કર્યો હતો. જયશંકર દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણી અંગે તેમણે કહ્યું કે તે ‘ગુનો’ છે અને ‘પાપ’ની શ્રેણીમાં આવે છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાને જવાબ આપવો જોઈએ. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને સત્ય જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.

​BJP IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેમણે મંગળવારે કહ્યું કે કેટલાક લોકો રાહુલ ગાંધીના નિવેદનોથી આશ્ચર્યચકિત નથી. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેઓ આવું કેમ કહી રહ્યા છે? કારણ કે રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાનને અભિનંદન આપ્યા ન હતા. આ ઓપરેશન દ્વારા ભારતની તાકાત સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. અમિત માલવિયાએ એક ફોટો સાથે ટ્વિટ કરીને આ વાત કહી. આ ફોટો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને રાહુલ ગાંધીના અડધા-અડધા ફોટા જોડીને બનાવવામાં આવ્યો છે. અમિત માલવિયાએ સોમવારે રાહુલ ગાંધીના તે ટ્વિટ બાદ આ સવાસ ઉઠાવ્યો છે જેમાં તેમણે ‘ઓપરેશન સિંદૂર’ના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ. જયશંકર પર હુમલો કર્યો હતો. જયશંકર દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણી અંગે તેમણે કહ્યું કે તે ‘ગુનો’ છે અને ‘પાપ’ની શ્રેણીમાં આવે છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાને જવાબ આપવો જોઈએ. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને સત્ય જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *