P24 News Gujarat

ઓહ વિજયભાઈ! કુદરતે કેટલા સંકેત આપ્યા હતા:રૂપાણીની સીટ પહેલા વિશ્વાસકુમારની લાઈનમાં હતી, એરલાઈન્સે સીટ નં 11G બદલીને 2D આપ્યો હતો

કહેવાય છે ને કે મોતની તારીખને કોઈ ટાળી શકતું નથી. ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ બે-બે વખત ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવીને 12મી જૂનના રોજની ટિકિટ કરાવી હતી. હવે એવું જાણવા મળ્યું છે કે રૂપાણીની 12મી જૂનના રોજ ઓરિજિનલ ટિકિટ 11G સીટની હતી. આ સીટ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમારની લાઈનમાં હતી. આ સીટને છેલ્લી ઘડીએ બદલીને બિઝનેસ ક્લાસમાં 2D કરવામાં આવી હતી. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ભૂતપૂર્વ સીએમ રૂપાણીનું નિધન થયું હતું. પણ ચોંકાવનારી વાત એ છે કે વિજયભાઈ રૂપાણીએ પહેલાં પોતાની ટિકિટ બિઝનેસ ક્લાસની નહીં પણ ઈકોનોમી ક્લાસની કરાવી હતી. આમ કુદરત એક પછી એક સંકેત આપી રહી હતી. પણ નસીબે સાથ આપ્યો નહોતો. વિજયભાઈ રૂપાણી સામાન્ય રીતે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરતા હોય છે. પણ આ વખતે તેમની સાથે અન્ય નીતિન ભારદ્વાર અને ધનસુખ ભંડેરીનો પરિવાર હોવાથી તેમણે ઈકોનોમી ક્લાસ પસંદ કર્યો હતો. વેકેશન માણવા જતાં બધા મિત્રોએ ખોટો ખર્ચ ટાળવા માટે ઈકોનોમીમાં સીટ બૂક કરાવી હતી. બીજુ એ કે વિજયભાઈ રૂપાણી જ્યારે ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતાં ત્યારે તેઓ ઇમર્જન્સી એક્ઝિટવાળી જગ્યા જ પસંદ કરતા. જેથી તેમને લેગ-સ્પેસ પ્રોપર મળી રહે. આ વખતે પણ તેમણે એવું જ કર્યું હતું. આથી તેમની ઇકોનોમી ક્લાસમાં 11G નંબરની ટિકિટ કરવામાં આવી હતી. આ લાઈનમાં જ 11A નંબરની સીટ વિશ્વાસકુમાર રમેશની હતી. જેનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો. એક જ લાઈન (રો)માં વિશ્વાસકુમારની ડાબી બાજુ તો રૂપાણીની ટિકિટ જમણી બાજુની હતી. વિશ્વાસકુમારની જમણી બાજુ બે સીટ છોડીને સીટ રૂપાણીની હતી. 11G નંબરની સીટ બાદમાં સુરત મૂળના અર્જુન પાટોલિયાને ફાળવવામાં આવી હતી. જેનું પણ મૃત્યું થયું હતું. જોકે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે એ ધ્યાને આવતાં જ 48 કલાક પહેલાં એરલાઈન્સે સામેથી તેમનો સંપર્ક કર્યો હતો. ઍર ઇન્ડિયાએ સામેથી રૂપાણીનો કોન્ટેક્ટ કરીને તેમની ટિકિટ અપડેટ કરીને બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર આપવાનું કહ્યું હતું. આથી વિજયભાઈએ તેમના બુકિંગ-એજન્ટનો કોન્ટેક્ટ કરવા કહ્યું હતું. આરવી ટૂર્સે ઘટતી વિગતો આપી એટલે વિજયભાઈ બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર થયા હતા. વેકેશનની આ આખી ટ્રિપનું પ્લાનિંગ, બુકિંગ અને ટૂર દરમિયાનની દરેક આઇટનરી રાજકોટની ટ્રાવેલ કંપની આરવી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવ્યાં હતાં. રૂપાણી સાથે 23.5 કિલોનો વધારાનો સામાન હતો
વિજયભાઈ સાથે પરમિશન ઉપરાંત 3.5 કિલોનો એક્સ્ટ્રા સામાન હતો. જે માટે તેમણે પેમેન્ટ ચૂકવી દીધું હતું. આ વધારાના સામાનમાં અથાણાં, પાપડ, ખાખરા સહિતનો સામાન હતો. રૂપાણી આ બધો સામાન લંડન રહેતી દીકરી રાધિકાના ઘર માટે લઈ જતા હતા. બે-બે વખત ટિકિટ કેન્સલ કરાવી હતી
નોંધનીય છે કે વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન19 મેના રોજ લંડન જતાં હતાં. ત્યાં રહેતી દીકરીના ઘરે નાનો એવો ધાર્મિક પ્રસંગ હતો. ત્યાર બાદ મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન હતો. ખાસ મિત્રો વિજયભાઈ રૂપાણી, નીતિન ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરીએ 5 જૂનના રોજની ટિકિટ કરાવી હતી, પણ રૂપાણી પંજાબના લુધિયાણામાં પેટાચૂંટણી હોવાથી પ્લાનમાં ફેરફાર થયો હતો. 5 જૂને માત્ર ધનસુખ ભંડરી લંડન ગયા હતા. ત્યાર બાદ વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે 10 જૂનની ટિકિટ કરાવી હતી. આમ છતાં કામના કારણે રૂપાણી જઈ શકે એમ નહોતા, એટલે તેમણે 10 જૂને નીતિન ભારદ્વાજને પરાણે લંડન મોકલ્યા હતા અને પોતાની 12 જૂનની ટિકિટ કરાવી હતી. તેમાં પણ છેલ્લે તેમણે ટિકિટ ઈકોનામી ક્લાસના બદલે બિઝનેસ ક્લાસની કરાવી હતી. ‘મને એકવાર વિજયનું મોઢું બતાવો’
આ અગાઉ શુક્રવાર વહેલી સવારે અંજલિબેન રૂપાણી આવતાં જ અમદાવાદ એરપોર્ટ પર ભારે કરુણતા છવાઈ ગઈ હતી. તેમણે કહ્યું, ‘મને એકવાર વિજયનું મોઢું બતાવો.’ ત્યારે તમામની આંખો ભીની થઈ ગઈ હતી. વિજયભાઈની સુરક્ષા માટે ફાળવેલા કમાન્ડો સામે જોઈ અંજલિબેને કહ્યું, ‘તમે તો સાહેબનું કાયમી ખૂબ જ ધ્યાન રાખતા હતા, કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું. ‘ આટલું સાંભળતાંની સાથે જ કમાન્ડો પણ ભાવુક થઈને રડવા લાગ્યા હતા. સતત 20 મિનિટ સુધી અંજલિબેનના રુદનથી ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ અંજલિબેન તેમના ગાંધીનગર સ્થિત બંગલે રવાના થયાં હતાં. ‘અંજુ, ફ્લાઇટમાં બેસી ગયો છું, કાલે આવું છું’
દિવ્ય ભાસ્કરને પ્રાપ્ત વિગત મુજબ પ્લેનમાં બેસ્યા પછી વિજય રૂપાણીએ પત્ની અંજલિબેનને અંતિમ કોલ કર્યો હતો, જેમાં વિજય રૂપાણીના અંતિમ શબ્દો હતા- ‘અંજુ, ફ્લાઈટમાં બેસી ગયો છું. ફલાઈટ હમણાં ઊપડે જ છે, કાલે આવું છું.’ મોદીએ અંજલિબેનને મળી સાંત્વના આપી
પીએમ મોદીએ એરપોર્ટ પર અંજલિબેનને મળીને સાંત્વના આપી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, ‘વિજયભાઈ રૂપાણીનાં પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈકેટલાય પડકારજનક સમયમાં અમે ખભેખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.’ પ્લેન ક્રેશ પહેલાંના બે વીડિયોમાં વિજય રૂપાણી જોવા મળ્યા હતા
પ્લેન ક્રેશ પહેલાંના એરપોર્ટ પરના બે વીડિયોમાં વિજય રૂપાણી જોવા મળ્યા હતા. એક વીડિયોમાં તેઓ ગેટની અંદર દાખલ દેખાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં એરપોર્ટના લોન્જમાં તેઓ મોબાઈલમાં કોઈ સાથે વાત કરતાં ચાલતાં જોવા મળી રહ્યા છે. યુકે નાગરિક અને ‘ધ વેલનેસ ફાઉન્ડ્રી’ નામની કંપનીના ફાઉન્ડર ફિયોંગલ ગ્રીનલો-મીક અને ડિરેક્ટર જેમીએ અમદાવાદ એરપોર્ટ પરની એક ઈન્સ્ટા સ્ટોરી અપલોડ કરી હતી. એમાં અનાયાસે આ વીડિયોમાં વિજય રૂપાણી કેદ થઈ થઈ ગયા હતા. યુકેના આ બંને નાગરિક થોડા દિવસથી ગુજરાતની મુલાકાતે હતા. વિજયભાઈ રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ
વિજયભાઈ રૂપાણીનું જે તારીખે નિધન થયું એ 12-06-2025 છે. તારીખ અને મહિનો 12-06 થાય. 1206 એ વિજયભાઈનો ફેવરિટ નંબર હતો. તેમણે તેમની કાર, એક્ટિવાના વાહન નંબર 1206 જ રાખ્યા હતા. તેઓ કોઈપણ સારું કાર્ય કરવા માટે 12-06 તારીખ પસંદ કરતા. રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે તો લોકો 1206 નંબર વાંચીને સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. યોગાનુયોગ જુઓ કે એ 12-06 તારીખે જ વિમાનમાં બેઠા ને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું. બીજો યોગાનુયોગ એ છે કે વિજયભાઈની જન્મ તારીખ 2 ઓગસ્ટ હતી. તેમનો સીટ નંબર પણ 2D હતો. અહીં પણ 2ના અંકનો યોગાનુયોગ છે. વિજયભાઈ-અંજલિબેનની લવસ્ટોરી
વિજય રૂપાણીની જેમ અંજલિબેન પણ પહેલાંથી રાજકારણ સાથે સંકળાયેલાં હતાં અને જનસંઘ માટે કામ કરતાં. એ સમયે એવી પ્રથા હતી કે પ્રચારક જ્યાં પણ પ્રચારાર્થે જાય ત્યાં તેણે મુખ્ય કાર્યકરના ઘરે જમવા જવાનું થતું. વિજય રૂપાણી અવારનવાર પ્રચાર માટે અમદાવાદ આવતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર હતા, જેના કારણે વિજયભાઈ તેમના ઘરે અનેક વખત જમવા જતા. આ રીતે વિજયભાઈ અને અંજલિબહેન વચ્ચે પહેલા ઓળખાણ થઈ અને પછી પ્રેમ થયો હતો. બાદમાં વડીલોની સહમતીથી બન્નેએ વિધિવત્ લગ્ન કર્યાં હતાં. વિજયભાઈના પુત્ર પુજિતનું બાળપણમાં દુર્ઘટનામાં મૃત્યું થયું હતું
વિજયભાઈનો પુત્ર પુજિત નાનો હતો ત્યારે એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. પુજિતના મૃત્યુ પછી વિજયભાઈ અને તેમનાં પત્ની અંજલિબેન આઘાતમાં હતા. સમય જતાં વિજયભાઈએ પુજિતના નામે સમાજસેવા કરવાનું નક્કી કર્યું. તેમણે ગરીબ, જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાના હેતુથી પુજિત રૂપાણી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું હતું, જે આજે પણ કાર્યરત છે. વિજય રૂપાણી જન્મે બર્મીઝ પણ કર્મે ગુજરાતી
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો. તેઓ જન્મે બર્મીઝ હતા, પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા. 1971થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા
મુખ્યમંત્રી રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેનાં વિરોધપ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી. ભાવનગર-ભુજમાં જેલવાસ
કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(MISA) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો. 1987માં કોર્પોરેટર બન્યા હતા
ત્યાર બાદ 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી હતી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા. ત્રણ ટર્મ મહામંત્રી, રાજ્યસભા MP, પ્રદેશ પ્રમુખ અને પછી મુખ્યમંત્રી
તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(1996-97) રહી ચૂક્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્ત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યા હતા. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં હતા. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા એ સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો, જેમાં તેમની પાસે પાણીપુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા.

​કહેવાય છે ને કે મોતની તારીખને કોઈ ટાળી શકતું નથી. ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ બે-બે વખત ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવીને 12મી જૂનના રોજની ટિકિટ કરાવી હતી. હવે એવું જાણવા મળ્યું છે કે રૂપાણીની 12મી જૂનના રોજ ઓરિજિનલ ટિકિટ 11G સીટની હતી. આ સીટ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમારની લાઈનમાં હતી. આ સીટને છેલ્લી ઘડીએ બદલીને બિઝનેસ ક્લાસમાં 2D કરવામાં આવી હતી. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ભૂતપૂર્વ સીએમ રૂપાણીનું નિધન થયું હતું. પણ ચોંકાવનારી વાત એ છે કે વિજયભાઈ રૂપાણીએ પહેલાં પોતાની ટિકિટ બિઝનેસ ક્લાસની નહીં પણ ઈકોનોમી ક્લાસની કરાવી હતી. આમ કુદરત એક પછી એક સંકેત આપી રહી હતી. પણ નસીબે સાથ આપ્યો નહોતો. વિજયભાઈ રૂપાણી સામાન્ય રીતે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરતા હોય છે. પણ આ વખતે તેમની સાથે અન્ય નીતિન ભારદ્વાર અને ધનસુખ ભંડેરીનો પરિવાર હોવાથી તેમણે ઈકોનોમી ક્લાસ પસંદ કર્યો હતો. વેકેશન માણવા જતાં બધા મિત્રોએ ખોટો ખર્ચ ટાળવા માટે ઈકોનોમીમાં સીટ બૂક કરાવી હતી. બીજુ એ કે વિજયભાઈ રૂપાણી જ્યારે ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતાં ત્યારે તેઓ ઇમર્જન્સી એક્ઝિટવાળી જગ્યા જ પસંદ કરતા. જેથી તેમને લેગ-સ્પેસ પ્રોપર મળી રહે. આ વખતે પણ તેમણે એવું જ કર્યું હતું. આથી તેમની ઇકોનોમી ક્લાસમાં 11G નંબરની ટિકિટ કરવામાં આવી હતી. આ લાઈનમાં જ 11A નંબરની સીટ વિશ્વાસકુમાર રમેશની હતી. જેનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો. એક જ લાઈન (રો)માં વિશ્વાસકુમારની ડાબી બાજુ તો રૂપાણીની ટિકિટ જમણી બાજુની હતી. વિશ્વાસકુમારની જમણી બાજુ બે સીટ છોડીને સીટ રૂપાણીની હતી. 11G નંબરની સીટ બાદમાં સુરત મૂળના અર્જુન પાટોલિયાને ફાળવવામાં આવી હતી. જેનું પણ મૃત્યું થયું હતું. જોકે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે એ ધ્યાને આવતાં જ 48 કલાક પહેલાં એરલાઈન્સે સામેથી તેમનો સંપર્ક કર્યો હતો. ઍર ઇન્ડિયાએ સામેથી રૂપાણીનો કોન્ટેક્ટ કરીને તેમની ટિકિટ અપડેટ કરીને બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર આપવાનું કહ્યું હતું. આથી વિજયભાઈએ તેમના બુકિંગ-એજન્ટનો કોન્ટેક્ટ કરવા કહ્યું હતું. આરવી ટૂર્સે ઘટતી વિગતો આપી એટલે વિજયભાઈ બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર થયા હતા. વેકેશનની આ આખી ટ્રિપનું પ્લાનિંગ, બુકિંગ અને ટૂર દરમિયાનની દરેક આઇટનરી રાજકોટની ટ્રાવેલ કંપની આરવી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવ્યાં હતાં. રૂપાણી સાથે 23.5 કિલોનો વધારાનો સામાન હતો
વિજયભાઈ સાથે પરમિશન ઉપરાંત 3.5 કિલોનો એક્સ્ટ્રા સામાન હતો. જે માટે તેમણે પેમેન્ટ ચૂકવી દીધું હતું. આ વધારાના સામાનમાં અથાણાં, પાપડ, ખાખરા સહિતનો સામાન હતો. રૂપાણી આ બધો સામાન લંડન રહેતી દીકરી રાધિકાના ઘર માટે લઈ જતા હતા. બે-બે વખત ટિકિટ કેન્સલ કરાવી હતી
નોંધનીય છે કે વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન19 મેના રોજ લંડન જતાં હતાં. ત્યાં રહેતી દીકરીના ઘરે નાનો એવો ધાર્મિક પ્રસંગ હતો. ત્યાર બાદ મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન હતો. ખાસ મિત્રો વિજયભાઈ રૂપાણી, નીતિન ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરીએ 5 જૂનના રોજની ટિકિટ કરાવી હતી, પણ રૂપાણી પંજાબના લુધિયાણામાં પેટાચૂંટણી હોવાથી પ્લાનમાં ફેરફાર થયો હતો. 5 જૂને માત્ર ધનસુખ ભંડરી લંડન ગયા હતા. ત્યાર બાદ વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે 10 જૂનની ટિકિટ કરાવી હતી. આમ છતાં કામના કારણે રૂપાણી જઈ શકે એમ નહોતા, એટલે તેમણે 10 જૂને નીતિન ભારદ્વાજને પરાણે લંડન મોકલ્યા હતા અને પોતાની 12 જૂનની ટિકિટ કરાવી હતી. તેમાં પણ છેલ્લે તેમણે ટિકિટ ઈકોનામી ક્લાસના બદલે બિઝનેસ ક્લાસની કરાવી હતી. ‘મને એકવાર વિજયનું મોઢું બતાવો’
આ અગાઉ શુક્રવાર વહેલી સવારે અંજલિબેન રૂપાણી આવતાં જ અમદાવાદ એરપોર્ટ પર ભારે કરુણતા છવાઈ ગઈ હતી. તેમણે કહ્યું, ‘મને એકવાર વિજયનું મોઢું બતાવો.’ ત્યારે તમામની આંખો ભીની થઈ ગઈ હતી. વિજયભાઈની સુરક્ષા માટે ફાળવેલા કમાન્ડો સામે જોઈ અંજલિબેને કહ્યું, ‘તમે તો સાહેબનું કાયમી ખૂબ જ ધ્યાન રાખતા હતા, કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું. ‘ આટલું સાંભળતાંની સાથે જ કમાન્ડો પણ ભાવુક થઈને રડવા લાગ્યા હતા. સતત 20 મિનિટ સુધી અંજલિબેનના રુદનથી ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ અંજલિબેન તેમના ગાંધીનગર સ્થિત બંગલે રવાના થયાં હતાં. ‘અંજુ, ફ્લાઇટમાં બેસી ગયો છું, કાલે આવું છું’
દિવ્ય ભાસ્કરને પ્રાપ્ત વિગત મુજબ પ્લેનમાં બેસ્યા પછી વિજય રૂપાણીએ પત્ની અંજલિબેનને અંતિમ કોલ કર્યો હતો, જેમાં વિજય રૂપાણીના અંતિમ શબ્દો હતા- ‘અંજુ, ફ્લાઈટમાં બેસી ગયો છું. ફલાઈટ હમણાં ઊપડે જ છે, કાલે આવું છું.’ મોદીએ અંજલિબેનને મળી સાંત્વના આપી
પીએમ મોદીએ એરપોર્ટ પર અંજલિબેનને મળીને સાંત્વના આપી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, ‘વિજયભાઈ રૂપાણીનાં પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈકેટલાય પડકારજનક સમયમાં અમે ખભેખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.’ પ્લેન ક્રેશ પહેલાંના બે વીડિયોમાં વિજય રૂપાણી જોવા મળ્યા હતા
પ્લેન ક્રેશ પહેલાંના એરપોર્ટ પરના બે વીડિયોમાં વિજય રૂપાણી જોવા મળ્યા હતા. એક વીડિયોમાં તેઓ ગેટની અંદર દાખલ દેખાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં એરપોર્ટના લોન્જમાં તેઓ મોબાઈલમાં કોઈ સાથે વાત કરતાં ચાલતાં જોવા મળી રહ્યા છે. યુકે નાગરિક અને ‘ધ વેલનેસ ફાઉન્ડ્રી’ નામની કંપનીના ફાઉન્ડર ફિયોંગલ ગ્રીનલો-મીક અને ડિરેક્ટર જેમીએ અમદાવાદ એરપોર્ટ પરની એક ઈન્સ્ટા સ્ટોરી અપલોડ કરી હતી. એમાં અનાયાસે આ વીડિયોમાં વિજય રૂપાણી કેદ થઈ થઈ ગયા હતા. યુકેના આ બંને નાગરિક થોડા દિવસથી ગુજરાતની મુલાકાતે હતા. વિજયભાઈ રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ
વિજયભાઈ રૂપાણીનું જે તારીખે નિધન થયું એ 12-06-2025 છે. તારીખ અને મહિનો 12-06 થાય. 1206 એ વિજયભાઈનો ફેવરિટ નંબર હતો. તેમણે તેમની કાર, એક્ટિવાના વાહન નંબર 1206 જ રાખ્યા હતા. તેઓ કોઈપણ સારું કાર્ય કરવા માટે 12-06 તારીખ પસંદ કરતા. રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે તો લોકો 1206 નંબર વાંચીને સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. યોગાનુયોગ જુઓ કે એ 12-06 તારીખે જ વિમાનમાં બેઠા ને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું. બીજો યોગાનુયોગ એ છે કે વિજયભાઈની જન્મ તારીખ 2 ઓગસ્ટ હતી. તેમનો સીટ નંબર પણ 2D હતો. અહીં પણ 2ના અંકનો યોગાનુયોગ છે. વિજયભાઈ-અંજલિબેનની લવસ્ટોરી
વિજય રૂપાણીની જેમ અંજલિબેન પણ પહેલાંથી રાજકારણ સાથે સંકળાયેલાં હતાં અને જનસંઘ માટે કામ કરતાં. એ સમયે એવી પ્રથા હતી કે પ્રચારક જ્યાં પણ પ્રચારાર્થે જાય ત્યાં તેણે મુખ્ય કાર્યકરના ઘરે જમવા જવાનું થતું. વિજય રૂપાણી અવારનવાર પ્રચાર માટે અમદાવાદ આવતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર હતા, જેના કારણે વિજયભાઈ તેમના ઘરે અનેક વખત જમવા જતા. આ રીતે વિજયભાઈ અને અંજલિબહેન વચ્ચે પહેલા ઓળખાણ થઈ અને પછી પ્રેમ થયો હતો. બાદમાં વડીલોની સહમતીથી બન્નેએ વિધિવત્ લગ્ન કર્યાં હતાં. વિજયભાઈના પુત્ર પુજિતનું બાળપણમાં દુર્ઘટનામાં મૃત્યું થયું હતું
વિજયભાઈનો પુત્ર પુજિત નાનો હતો ત્યારે એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. પુજિતના મૃત્યુ પછી વિજયભાઈ અને તેમનાં પત્ની અંજલિબેન આઘાતમાં હતા. સમય જતાં વિજયભાઈએ પુજિતના નામે સમાજસેવા કરવાનું નક્કી કર્યું. તેમણે ગરીબ, જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાના હેતુથી પુજિત રૂપાણી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું હતું, જે આજે પણ કાર્યરત છે. વિજય રૂપાણી જન્મે બર્મીઝ પણ કર્મે ગુજરાતી
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો. તેઓ જન્મે બર્મીઝ હતા, પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા. 1971થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા
મુખ્યમંત્રી રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેનાં વિરોધપ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી. ભાવનગર-ભુજમાં જેલવાસ
કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(MISA) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો. 1987માં કોર્પોરેટર બન્યા હતા
ત્યાર બાદ 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી હતી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા. ત્રણ ટર્મ મહામંત્રી, રાજ્યસભા MP, પ્રદેશ પ્રમુખ અને પછી મુખ્યમંત્રી
તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(1996-97) રહી ચૂક્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્ત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યા હતા. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં હતા. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા એ સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો, જેમાં તેમની પાસે પાણીપુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *