અમેરિકાની મુલાકાતે રહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમેરિકા સાથે વેપાર સંબંધિત વાટાઘાટો અને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે કોઈ સંબંધ નથી. તેમણે ન્યૂઝવીકના સીઈઓ દેવ પ્રસાદ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી. જયશંકરે કહ્યું- 9 મેની રાત્રે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પીએમ મોદી સાથે વાત કરી હતી. તે સમયે હું પણ એ જ રૂમમાં હતો. વેન્સે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ભારત પર મોટા હુમલાનો પ્લાન કરી રહ્યું છે. પીએમ મોદીએ તેની પરવા ન કરતા કહ્યું હતું કે- હુમલાનો જવાબ આપવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું- બીજા દિવસે સવારે (10 મે) યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પીએમનો સંપર્ક કર્યો. કહ્યું- પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે. આ પછી, પાકિસ્તાનના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈનો સંપર્ક કર્યો અને યુદ્ધવિરામની વિનંતી કરી. ખરેખરમાં, 10 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેની પહેલી માહિતી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની X પોસ્ટ દ્વારા આપી હતી. ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાનને વેપાર ન કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. જયશંકરે કહ્યું- રાજદ્વારી અને વેપાર સંબંધિત ચર્ચાઓ સંપૂર્ણપણે અલગ છે જયશંકરે કહ્યું- ઘટનાક્રમ એવી રીતે બન્યો ન હતો. રાજદ્વારી અને વેપાર સંબંધિત ચર્ચાઓ સંપૂર્ણપણે અલગ છે. મને લાગે છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જે કરવું જોઈએ તે કરી રહ્યા છે, જેમ કે નંબર, લાઈનોં, પ્રોડક્ટ્સ અને વેપાર કરાર. તેઓ બધા પ્રોફેશનલ છે અને આના પર ધ્યાન કેન્દ્રિત છે. જયશંકરે કહ્યું- ભારતનું વલણ સ્પષ્ટ છે- આતંકવાદીઓને કોઈપણ રીતે છોડવામાં આવશે નહીં. હવે તેમને પ્રોક્સી તરીકે જોવામાં આવશે નહીં. આતંકવાદીઓને ટેકો આપતી સરકારોને છોડવામાં આવશે નહીં. પરમાણુ બ્લેકમેઇલિંગ પણ અમારા જવાબને રોકી શકશે નહીં. જયશંકરે કહ્યું- પહેલગામ હુમલો એક સુનિયોજિત આર્થિક યુદ્ધ હતું ચર્ચા દરમિયાન, જયશંકરે કહ્યું કે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો એક સુનિયોજિત આર્થિક યુદ્ધ હતું. તેનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગને નષ્ટ કરવાનો હતો. આ હુમલો કાશ્મીરના અર્થતંત્રની કરોડરજ્જુ એવા પ્રવાસન પર હુમલો હતો. આતંકવાદીઓ ઇચ્છતા હતા કે લોકો ડરી જાય, પ્રવાસીઓ આવવાનું બંધ કરી દે અને ઘાટીનું આર્થિક માળખું ધ્વસ્ત થાય. હુમલાખોરોએ ધાર્મિક ઓળખના આધારે લોકોને અલગ કર્યા અને પછી તેમની હત્યા કરી દીધી, જેથી સાંપ્રદાયિક તણાવ ફેલાય. જયશંકરે કહ્યું- ભારત હવે પરમાણુ હથિયારોની ધમકીથી ડરતું નથી જયશંકરે કહ્યું કે ભારત પાકિસ્તાન તરફથી આવતા આતંકવાદનો યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે ભારત હવે પરમાણુ હથિયારોની ધમકીથી ડરતું નથી. જયશંકરે કહ્યું- હવે ડર બતાવવાનો સમય પૂરો થઈ ગયો છે કારણ કે બંને દેશો પરમાણુ તાકાત છે, તેથી ભારતે સંયમ રાખવો જોઈએ. જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે પણ જવાબ આપીશું અને હુમલો કરનારાઓ પર સીધો હુમલો કરીશું. ન તો આતંકવાદીઓને કોઈ રાહત મળશે, ન તો તેમના આકા સુરક્ષિત રહેશે. 7 મે: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય લીધો ઈરાન યુદ્ધ બંધ કર્યા પછી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાનો સંકેત આપ્યો હતો. આ સાથે, અમેરિકન રાષ્ટ્રપતિએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવાનો શ્રેય લીધો. તેમણે કહ્યું કે મેં મારા અધિકારીઓને બંને દેશો સાથેના તમામ કરારો રદ કરવાનું કહીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. બધાએ જોયું કે ભારત અને પાકિસ્તાન એક મોટા યુદ્ધની કગાર પર હતા. બંને પાસે પરમાણુ તાકાત છે. મેં બંનેને ધમકી આપી હતી કે જો યુદ્ધ બંધ નહીં થાય તો અમેરિકા દિલ્હી અને ઇસ્લામાબાદ સાથે વેપાર નહીં કરે. ત્યારે જ બંને યુદ્ધ બંધ કરવા સંમત થયા. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતીય વાયુસેનાએ 6-7 મેની રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી હતી. માત્ર 25 મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં, 7 શહેરોમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ ઉડાવી દેવામાં આવ્યા હતા. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી એકબીજા પર ડ્રોન અને મિસાઇલ હુમલા થયા બાદ 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પે સૌપ્રથમ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી હતી. ત્યારથી, તેમણે 15થી વધુ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાનો દાવો કર્યો છે. જોકે, ભારતે સતત કહ્યું છે કે ભારત અને પાકિસ્તાની સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધી વાતચીત બાદ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. જોકે, પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનો શ્રેય રાષ્ટ્રપતિ ટ્રમ્પને આપે છે.
અમેરિકાની મુલાકાતે રહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમેરિકા સાથે વેપાર સંબંધિત વાટાઘાટો અને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે કોઈ સંબંધ નથી. તેમણે ન્યૂઝવીકના સીઈઓ દેવ પ્રસાદ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી. જયશંકરે કહ્યું- 9 મેની રાત્રે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પીએમ મોદી સાથે વાત કરી હતી. તે સમયે હું પણ એ જ રૂમમાં હતો. વેન્સે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ભારત પર મોટા હુમલાનો પ્લાન કરી રહ્યું છે. પીએમ મોદીએ તેની પરવા ન કરતા કહ્યું હતું કે- હુમલાનો જવાબ આપવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું- બીજા દિવસે સવારે (10 મે) યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પીએમનો સંપર્ક કર્યો. કહ્યું- પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે. આ પછી, પાકિસ્તાનના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈનો સંપર્ક કર્યો અને યુદ્ધવિરામની વિનંતી કરી. ખરેખરમાં, 10 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેની પહેલી માહિતી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની X પોસ્ટ દ્વારા આપી હતી. ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાનને વેપાર ન કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. જયશંકરે કહ્યું- રાજદ્વારી અને વેપાર સંબંધિત ચર્ચાઓ સંપૂર્ણપણે અલગ છે જયશંકરે કહ્યું- ઘટનાક્રમ એવી રીતે બન્યો ન હતો. રાજદ્વારી અને વેપાર સંબંધિત ચર્ચાઓ સંપૂર્ણપણે અલગ છે. મને લાગે છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જે કરવું જોઈએ તે કરી રહ્યા છે, જેમ કે નંબર, લાઈનોં, પ્રોડક્ટ્સ અને વેપાર કરાર. તેઓ બધા પ્રોફેશનલ છે અને આના પર ધ્યાન કેન્દ્રિત છે. જયશંકરે કહ્યું- ભારતનું વલણ સ્પષ્ટ છે- આતંકવાદીઓને કોઈપણ રીતે છોડવામાં આવશે નહીં. હવે તેમને પ્રોક્સી તરીકે જોવામાં આવશે નહીં. આતંકવાદીઓને ટેકો આપતી સરકારોને છોડવામાં આવશે નહીં. પરમાણુ બ્લેકમેઇલિંગ પણ અમારા જવાબને રોકી શકશે નહીં. જયશંકરે કહ્યું- પહેલગામ હુમલો એક સુનિયોજિત આર્થિક યુદ્ધ હતું ચર્ચા દરમિયાન, જયશંકરે કહ્યું કે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો એક સુનિયોજિત આર્થિક યુદ્ધ હતું. તેનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગને નષ્ટ કરવાનો હતો. આ હુમલો કાશ્મીરના અર્થતંત્રની કરોડરજ્જુ એવા પ્રવાસન પર હુમલો હતો. આતંકવાદીઓ ઇચ્છતા હતા કે લોકો ડરી જાય, પ્રવાસીઓ આવવાનું બંધ કરી દે અને ઘાટીનું આર્થિક માળખું ધ્વસ્ત થાય. હુમલાખોરોએ ધાર્મિક ઓળખના આધારે લોકોને અલગ કર્યા અને પછી તેમની હત્યા કરી દીધી, જેથી સાંપ્રદાયિક તણાવ ફેલાય. જયશંકરે કહ્યું- ભારત હવે પરમાણુ હથિયારોની ધમકીથી ડરતું નથી જયશંકરે કહ્યું કે ભારત પાકિસ્તાન તરફથી આવતા આતંકવાદનો યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે ભારત હવે પરમાણુ હથિયારોની ધમકીથી ડરતું નથી. જયશંકરે કહ્યું- હવે ડર બતાવવાનો સમય પૂરો થઈ ગયો છે કારણ કે બંને દેશો પરમાણુ તાકાત છે, તેથી ભારતે સંયમ રાખવો જોઈએ. જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે પણ જવાબ આપીશું અને હુમલો કરનારાઓ પર સીધો હુમલો કરીશું. ન તો આતંકવાદીઓને કોઈ રાહત મળશે, ન તો તેમના આકા સુરક્ષિત રહેશે. 7 મે: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય લીધો ઈરાન યુદ્ધ બંધ કર્યા પછી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાનો સંકેત આપ્યો હતો. આ સાથે, અમેરિકન રાષ્ટ્રપતિએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવાનો શ્રેય લીધો. તેમણે કહ્યું કે મેં મારા અધિકારીઓને બંને દેશો સાથેના તમામ કરારો રદ કરવાનું કહીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. બધાએ જોયું કે ભારત અને પાકિસ્તાન એક મોટા યુદ્ધની કગાર પર હતા. બંને પાસે પરમાણુ તાકાત છે. મેં બંનેને ધમકી આપી હતી કે જો યુદ્ધ બંધ નહીં થાય તો અમેરિકા દિલ્હી અને ઇસ્લામાબાદ સાથે વેપાર નહીં કરે. ત્યારે જ બંને યુદ્ધ બંધ કરવા સંમત થયા. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતીય વાયુસેનાએ 6-7 મેની રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી હતી. માત્ર 25 મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં, 7 શહેરોમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ ઉડાવી દેવામાં આવ્યા હતા. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી એકબીજા પર ડ્રોન અને મિસાઇલ હુમલા થયા બાદ 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પે સૌપ્રથમ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી હતી. ત્યારથી, તેમણે 15થી વધુ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાનો દાવો કર્યો છે. જોકે, ભારતે સતત કહ્યું છે કે ભારત અને પાકિસ્તાની સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધી વાતચીત બાદ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. જોકે, પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનો શ્રેય રાષ્ટ્રપતિ ટ્રમ્પને આપે છે.
